બંધ કરો

જિલ્લા વિષે

મોરબી જિલ્લો ભારતના ૬૭ માં સ્વતંત્રતા દિવસ પર ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે.

જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી ૩૫ કિલોમીટર અને રાજકોટથી ૬૦ કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે.

આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે.